સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
શાશનનો શંખનાદ ગૃપના ચેતનાબેન શાહ તેમજ અલ્પાબેન શાહ દ્વારા સુરત અડાજણ ખાતે આવેલ જૈન વાડીમાં એક દિવસ માટે જૈન સમાજની પોતાની બહેનો માટે એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું હતુ. આ એક્ઝિબિશનમાં કુલ ૪૩ સ્ટૉલ મૂકવામાં આવ્યા હતા ,જેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓનું સમાવેશ કરવામાં આવ્યો હતો,જેમાં ખાખરા, નમકીન ,ઘરમાં બનેલી વસ્તુઓ ગૃહિણી દ્વારા બનાવવામાં આવેલી કળાઓ ,જ્વેલરી ના સ્ટોલ,કપડાઓના સ્ટોલ,બટવા,પૂજાની કપલ જોડીઓ, પ્રભાવનાની વિવિધ આઇટમો,વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરોકત આયોજના અગ્રણી ચેતનાબેન શાહે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પર્યુષણ પર્વના દિવસોને ધ્યાનમાં રાખીને આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે, એક્ઝિબિશન ની ખાસ વિશેષતા એ છે કે દરેક ગૃહિણી પોતાના ઘરમાં નાનો મોટો બિઝનેસ કરતી હોય તો તે આ એક્ઝિબિશન થકી બહાર આવીને ખુલીને બિઝનેસ કરી શકે, જેથી તહેવાર નિમિત્તે દરેક ગૃહિણીઓનું રોજગાર વધે અને સાથે આ એક્ઝિબિશન થકી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.આ એક્સીબીશન ના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ, કોર્પોરેટર શ્રીમતી કૈલાશબેન ,શ્રી સુકન જૈન સંઘ રેસીડેન્ટ ના પ્રમુખ અજીતભાઈ મહેતા, તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે પ્રખ્યાત સિંગર જોલીબેન તેમજ અમિતભાઈ પણ પધાર્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે આયોજક દ્વારા રાજકીય અગ્રણીઓ, તેમજ સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું,
• Share •