સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ગત જાન્યુઆરી મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ જેઈઈ મેઈન ફેઝ ૧ પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . આ પરિણામમાં પી.પી.સવાણી સ્કૂલના દેસાઈ આર્જવ શ્રેયભાઈ એ JEE ના પરિણામમાં ૯૯.૯૯ PR મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ ગુજરાતી માધ્યમમાં પ્રાપ્ત કરી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત ૯૯ PR ઉપર ૨૫ વિદ્યાર્થીઓ, ૯૫ PR ઉપર ૧૦૮ વિદ્યાર્થીઓ, ૯૦ PR ઉપર ૨૦૬ વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.
આજ રોજ આ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
વિશેષ નોંધ :
ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ દેસાઈ આર્જવ શ્રેયભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
99.99 પર્સનટાઇલ સાથે દેસાઈ આર્જવ પ્રથમ
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી દેસાઈ આર્જવ શ્રેયભાઈ JEE MAIN 99.99 PR મેળવ્યાં હતા. આજ રોજ જાહેર થયેલ JEE MAIN ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. આમ શાળાના સહકાર અને આર્જવની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગદર્શન આ તબક્કે આર્જવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાલ, આર્જવ પી.પી.સવાણી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમનો પરિવાર ભરૂચ સ્થિત જગડિયા મુકામે રહે છે.
પિતા : ડોકટર (MD ફિજીશીયન)
માતા : ડોક્ટર (MD ગાયનેક)
સપનું : મુંબઈ IIT માંથી કમ્પ્યુટર એંજિનિયરિંગ
• Share •